ઈસ્લામિક સ્ટોરી 19 હઝરત અલીની સમજાવટ પછી બન્ને પક્ષના સૈનિકો પોતપોતાના તંબુઓ માં જઈને સુઈ ગયા.પણ જેમણે હઝરત ઉસ્માનની હત્યા કરાવી હતી. એ કાવતરાબાજોના માણસો બન્ને તરફના લશ્કરોમાં સામેલ હતા.અને એ લોકોની ઈચ્છા શાંતિની તો બિલકુલ ન હતી.રાત્રિના ત્રીજા પહોરમાંએ કાવતરા ખોરોએ એક બીજાની છાવણીઓ ઉપર અચાનક હુમલો કર્યો.અને પછી શરુ થયુ ભયંકર યુદ્ધ.વહેલી સવારે શરુ થયેલુ એ યુદ્ધ બપોર સુધી ચાલ્યુ હતુ અને ત્યા સુધીમા બન્ને પક્ષોના હજારો સૈનિકો શહીદ થઈ ગયા.હઝરતઅલીના પક્ષના પાંચથી સાત હજાર અને હઝરત આયેશાના પક્ષમાંથી બારથી પંદર હજાર સુધી સૈનિકો શહીદ થયા હતા. યુદ્ધ અટકાવવા માટે હવે હઝરત અલી ને એક જ