સંસ્કારનું જીવનમાં સંક્રાન્તીકરણ

(150)
  • 3.6k
  • 646

સંસ્કારનું જીવનમાં સંક્રાન્તીકરણ   સોરઠની ધરતી પર આવેલું એક રળિયામણું ગામ એટલે 'અમરગઢ'. આછેરી સંધ્યા ખીલી હતી અને આકાશના રવેડો (રંગો) જાણે ધરતી પર ઉતરી આવ્યા હતા. ગામને પાદરે આવેલા વિશાળ કૂવે ચાર પનિહારીઓ પાણી ભરવા આવી હતી. કૂવાના કાંઠે ઘડા મૂકીને વાતોનો દોર શરૂ થયો. સ્ત્રી સહજ સ્વભાવ મુજબ, વાતોનું વહેણ પોતાના સંતાનો તરફ વળ્યું. સૌથી પહેલા ગોમતી બોલી. તેનો અવાજ ગર્વથી છલકાતો હતો: "બહેનો, મારો દીકરો 'વેદાંત' તો કાશીથી ભણીને આવ્યો છે. સંસ્કૃતનો એવો પ્રખર પંડિત છે કે મોટા-મોટા ગ્રંથો તેને જિહ્વાગ્રે (મોઢે) છે. મોટા વિશ્વવિદ્યાલયમાં એ અધ્યાપક છે. એના જ્ઞાનનો સૂરજ આખા પંથકમાં પ્રકાશે છે." ગોમતીની વાત સાંભળીને લક્ષ્મીથી પણ