દિનકર દાસગુપ્તા બધા નવા વિધાર્થીઓ ને બેસાડી હજી નવી બેચ શરૂ જ કરી રહ્યા હતા કે અચાનક જ રિતેશ અને નવનીત દોડતા પ્રવેશ કરે છે. દિનકર દાસગુપ્તા તેમને જોઈને અચાનક જ રોકાઈ જાય છે." એ તમે બન્ને કેમ આમ આવ્યા ?" દિનકર દાસગુપ્તા પ્રશ્ન કરે છે." સર ત્યાં ફોર્મ ભરવામાં મોડું થઈ ગયું તો અમે લેક્ચર છુટી ન જાય તેનું ધ્યાન રાખવામાં પડી ગયા એટલે દોડતા આવ્યા." નવનીત કહે છે." જો કલાસ આઈ.એ.એસ ની મુખ્ય પરિક્ષા નો સૌથી પહેલો નિયમ આ જ છે. આપ સૌને ધીરજ રાખવી જોઈએ. લગભગ ૮૦ ટકા વિધાર્થીઓ મુખ્ય પરિક્ષા માટે પહેલીવાર જ પાસ નથી થઈ