પ્રકરણ -23 જે બન્યું તેના માટે નમિતા દોષિત હતી, પરંતુ તેના કરતાં માતાપિતા તેના માટે વધુ જવાબદાર હતા. તેઓ તેમના જીવનના પાંચ દાયકા જીવી ચૂક્યા હતા, પરંતુ તેમને સાંસારિક બાબતોનું કોઈ જ્ઞાન નહોતું. તેમના વિચારો નાના બાળકને પણ શરમાવતા હતા. હું નમિતાને લઈને તેમની પાસે ગયો હતો. પરંતુ લલિતા બહેને તેને ઘરમાં આવતી રોકતા જાણે વટ હુકમ છોડ્યો હતો. "હું મારા ઘરમાં તારા જેવો ગંદવાડ સંઘરવા નથી માંગતી..." નમિતાએ તાળી પાડી અને તેની માતાને જડબાતોડ જવાબ આપ્યો હતો. "વાહ, શું વાત છે! ગંદકીથી ભરેલું પીપ આટલી નાની ગંદકી સ્વીકારવા