યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (3)

         તૈયાર થયા પછી, અમે જમવા માટે એક હોટલમાં ગયા હતા.         પપ્પાએ ભરપેટ થાળીનો ઓર્ડર આપ્યો હતો.         કેરીની મોસમ હતી, તેથી મને કેરીનો રસ ખાવાનું મને મને થયું હતું,  પણ પિતાજી એ મને રોકી લીધો હતો. રાત્રિનો સમય હતો. વધુ પડતું ખાવાથી અપચો થશે. આ વાતને ધ્યાનમાં રાખીને, તેમણે મને સલાહ આપી હતી..      "કેરીનો રસ સારો છે, પણ વધારે ના ખાતો. "       તેમને એસિડિટીની સમસ્યા હતી, તેથી તેમણે મને પણ કેરીના રસથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.        થાળીમાં અમારી ઘણી મનપસંદ વસ્તુઓ હતી, પણ હું વધારે ખાઈ શક્યો નહોતો.       રાત્રિ ભોજન પછી, પપ્પા અમને