કવચ - ૧

અસ્વીકરણ:આ રચના સંપૂર્ણ પણે કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. આ ઉપરાંત કોઈની ધાર્મિક કે આધ્યાત્મિક લાગણી દુભાઈ એવો હેતું નથી કે નથી કોઈ ઐતિહાસિક તથ્યોને બદલવાની એષણા. આ રચનાને માત્ર મનોરંજન તરીકે માણવા વિનંતી....___________________પ્રસ્તાવના:આ કથાની પૃષ્ઠભૂમિ ભારત, જે સ્વયંની શોધ અને કેટલાંય રહસ્યો માટે જાણીતું છે. આ ભૂમિ પર જન્મી કે બહારથી આવી જીવતું દરેક વ્યક્તિ આજીવન જીવનનું સત્ય શોધવાનો પ્રયત્ન કરે છે. જૂદાં જૂદાં માર્ગે પરમજ્ઞાન મેળવી જીવનની સર્વોચ્ચ અવસ્થા પામવા સંઘર્ષ કરે છે. કેટલાય રહસ્યો ઉજાગર કરવા જીવન સમર્પિત કરી દે છે. છતાં રહસ્યો અને જિજ્ઞાસા નો અંત જ નથી. આ કથા પણ