ભગવાને મારી સાથે આવું કેમ કર્યું ? ( પ્રેરણાત્મક વાર્તા) ઘણીવાર આપણે ભગવાન ને ફરિયાદ કરીએ છીએ કે તમે ભગવાન મારી સાથે આવું કેમ કર્યું ? મને જ કેમ ના મળ્યું ? મારી સાથે જ કેમ આવું થયું ? એક મહાન સંત મહારાજ જ્યારે પણ કથા નું આયોજન કરે એટલે દૂર દૂર થી લોકો સાંભળવા માટે આવે. કથા ના શબ્દો અને વર્ણન એટલું તાદ્રશ કે કથા સાંભળનારા લોકો અભિભૂત થઈ જતાં. કથાના અંતે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ થતું. પ્રસાદ લેવાં માટે એક લાંબી લાઇન હોવાં છતાં કથા પ્રસાદ પામી ને આવનારાં લોકો ધન્યતાં અનુભવતાં જે એમના ચહેરા