પરંપરા કે પ્રગતિ? - 30

(30)
  • 926
  • 390

જેન્સી ધનરાજ શેઠના કહેવાથી ટેબલ પર નાસ્તો કરવા બેઠી. મનમાં તો બસ ઇન્સ્પેક્ટરની વાતો જ ઘૂમરાતી હતી. તે વિચારી રહી હતી કે આ આલીશાન ઘરમાંથી કોણ જાનને મારવાનો પ્રયાસ કરી શકે છે?​ધનરાજ શેઠે તેને પૂછ્યું, "શું થયું બેટા, ક્યાં ખોવાઈ ગઈ છે?"​"કંઈ નહીં અંકલ, બસ એમ જ," જેન્સીએ જવાબ આપ્યો.​તે નાસ્તો કરતી વખતે પણ મનમાં વિચારતી હતી, 'શું આટલા સારા લાગતા ધનરાજ શેઠ જ ગુનેગાર છે? કે પછી તેમના ઘરમાં રહેલું કોઈ બીજું વ્યક્તિ? મિસ તારા? કે પ્રેમ? પણ પ્રેમને તો જાન પ્રત્યે ભાઈ જેવો પ્રેમ છે.'​બીજી તરફ, મિસ તારા પોતાના રૂમમાં બેસીને ગુસ્સામાં કંઈક વિચારી રહી હતી.​"આ છોકરી જાનની