મેઘાર્યન - 1

આપણાં જીવનમાં માતાપિતા સિવાય કોઈ એક કે વધારે વ્યક્તિ સાથે પ્રાણપ્રિય સંબંધ હોય છે. જેના વગર આપણા સ્વતંત્ર અસ્તિત્વની કલ્પના કરવી અશક્ય હોય છે આ વ્યક્તિ એટલે આપણા ભાઈ-બહેન,ખાસ મિત્ર કોઈ પણ હોય શકે છે. તો જ્યારે આવું કોઈ વ્યક્તિ આપણા ગામ કે શહેર છોડીને બીજી જગ્યાએ જાય ત્યારે આપણું મન બેચેન થઈ જાય છે. પણ તે ખાસ વ્યક્તિને નજીકના ભવિષ્યમાં ફરી મળીશું તે વાતનો આપણને વિશ્વાસ છે. તે મનની બેચેની ઓછી કરે છે. પણ  જો આ વ્યક્તિ સદાયને માટે આપણાથી દૂર થઈ જાય છે ત્યારે એ દુઃખને સંભાળવું ખૂબ જ કઠિન છે. આપણે ક્યારેક પ્રિયજનને ગુમાવ્યાનો દુઃખ અનુભવ્યું છે.