જીવન પથ - ભાગ 25

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૨૫ એક ભાઈ પૂછે છે કે,‘શું સાચી સિદ્ધિનો માર્ગ કઠિનાઈઓ અને પડકારોથી ભરેલો હોય છે?’ 'મહાન સિદ્ધિઓ સરળતાથી મળતી નથી અને સરળતાથી મળેલી સિદ્ધિઓ મહાન હોતી નથી.' – આ સુવિચાર જીવનના ઊંડા સત્યને ઉજાગર કરે છે. આપણે સૌ સફળતા અને સિદ્ધિની ઝંખના રાખીએ છીએ, પરંતુ શું આપણે એ સમજીએ છીએ કે સાચી સિદ્ધિનો માર્ગ કઠિનાઈઓ અને પડકારોથી ભરેલો હોય છે? જે વસ્તુ સરળતાથી પ્રાપ્ત થાય છે, તેની કિંમત અને તેનું મૂલ્ય ઓછું આંકવામાં આવે છે. જ્યારે, જેના માટે પરસેવો પાડ્યો હોય, રાત-દિવસ એક કર્યા હોય, અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હોય, તેવી સિદ્ધિની અનુભૂતિ અને સંતોષ અનમોલ હોય છે.