ગર્ભપાત - ૧૬ ( નોંધ:- આ સ્ટોરી દ્વારા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવી એવો કોઈ ઈરાદો નથી. જો સ્ટોરીમાં એવો કોઈ ઉલ્લેખ આવશે તો એ માત્ર વાંચકોના મનોરંજન માટે હશે.) પંડિત દિનાનાથે મમતાબાને તંત્ર સાધના અંગેની હકીકત જણાવી અને એના દ્વારા મમતાબાના જીવનું પણ જોખમ છે એ અંગે તેઓ ચિંતિત છે. આ એકમાત્ર ઉપાય હતો જેના દ્વારા સોનલને મમતાબાની ગર્ભમાં મૃત્યુ પામેલી દિકરીના આત્માથી છુટકારો મળે તેમજ એ જીજીવિષા ધરાવતી આત્માને પુનઃ નવ જીવન મળે. " આ એક અંત્યત જોખમી ઉપાય છે એટલા માટે હું તંત્ર સાધના કરવા માટે રાજી નથી. " પંડિત દિનાનાથે પોતાનો નિર્ણય સંભળાવતા