અર્જૂન કપૂર ની કોલેજ લાઇફ શાંતિ થી ચાલુ થઈ. તે લોકોની નજરોમાં આવ્યા વિના તેના લેક્ચર અટેન્ડ કરતો, લાંબા સમય સુધી લાઇબ્રેરી મા બેસી ને વાંચ્યા કરતો, અને બિનજરૂરી વાતો થી દુર રહેતો હતો. પરંતુ તેનો આખો કાળો પોશાક, આઈબ્રો પર બનેલું નિશાન અને સીનીયર સાથે થયેલા ઝગડા ના કારણે મળેલા નામ - લાયનહાર્ટ ના કારણે તેને અવગણવો લોકો માટે અશક્ય હતો. અર્જૂનને લોકો ધ્યાન આપે કે ન આપે તેનાથી કોઈ ફરક પડતો નહિ .તે કોલેજના બગીચામાં અથવા કૅન્ટીનના સૌથી દૂરના ખૂણામાં શાંતિ શોધતો. તે લોકોની નજરમાં આકર્ષિત થયા વગર જીવવા માંગતો હતો. પરંતુ કિંગ્સ્ટન કોલેજે તેને ચર્ચાના કેન્દ્ર માં રાખવાનું