વેદના

  • 228
  • 82

             એક સામાન્ય પુરુષ. જેનું નામ ધીરુભાઈ. એક સામાન્ય દુકાન માં નોકરી કરી પોતાના પરિવાર નું ગાડું શાંતી થી ચલાવ્યા કરે. કરકસર વાળું જીવન. પરિવાર પણ કરકસર થી ઘર ચલાવે. આવા ખુશહાલ પરિવાર તો નહિ પણ શાંત પરિવાર માં તેમને એક પુત્ર નો જન્મ થયો. પુત્ર ના જન્મ થી ધીરુભાઈ ખુશ રહેવા લાગ્યા અને શાંતી થી પોતાનું કામ કરવા લાગ્યા. એના ભાગ્ય માં કરકસર નું પ્રમાણ વધી ગયું. ઈશ્વર ને આટલી ખુશી પણ મંજૂર નહિ હોય. અચાનક તેમના પત્ની નું મૃત્યુ થયું અને પરિવાર નો માળો વિખાઈ ગયો.