આદર્શવાદથી નિરાશા સુધીની સફર

  • 1.9k
  • 648

આદર્શવાદથી નિરાશા સુધીની સફર એક સામાન્ય માણસ હતો, નામ હતું ગંગા પ્રસાદ. ગંગા પ્રસાદના હૃદયમાં એક મોટું સપનું હતું - પોતાના ગામમાં એક હોસ્પિટલ બનાવવાનું. તે ઈચ્છતો હતો કે ગરીબોને સારી સારવાર મળે, કોઈએ બીમારીમાં દુઃખ ન ભોગવવું પડે. ગામ લોકોને બીમારીનો ઈલાજ કરવા શહેર જવું ન પડે. મોંગા દાટ સહેરી ખર્ચા થી રાહત મળે. આવા વિચાર કરતો. ગંગા પ્રસાદ આદર્શવાદી હતો, તેનું જીવન સાદગી અને નિષ્ઠાથી ભરેલું હતું. તેણે જીવનભરની બચત એકઠી કરી અને પોતાના સપનાને હકીકતમાં ફેરવવાનું નક્કી કર્યું. એક શુભ દિવસે, શંકરે હોસ્પિટલનું બાંધકામ શરૂ કર્યું. ગામના લોકો તેની પ્રશંસા કરતા, કારણ કે આવું સપનું જોવું એ