નિતુ - પ્રકરણ 115

  • 192
  • 94

નિતુ : ૧૧૫ (મુલાકાત) વિદ્યા એ દરેક સામે જોતા બોલી, "તમે લોકો જઈ શકો છો." એ બાજુમાં રહેલી એક ખાલી ખુરશી પર બેસી ગઈ. એના હાવભાવ ઈશારો કરી રહ્યા હતા, કે અત્યારે એના વિચારો સુન્ન થઈ ગયા છે. ઓફિસ ધીમે ધીમે ખાલી થઈ ગઈ. નિતુ, કરુણા, હરેશ અને નિકુંજ સિવાય બધા જ જતા રહેલા. આજે જે કંઈ દ્રશ્ય સર્જાયું એ દરેક સ્ટાફ માટે ચર્ચાનો વિષય બની ગયો.બહાર કમ્પાઉન્ડમાં આવી પોતાની કારના હુડ પર બેગ પછાડતા ઊંડા વિચારમાંથી ભાર્ગવ કહેવા લાગ્યો, "આ સાલુ થઈ શું રહ્યું છે?"તેની સાથે અનુરાધા એન્ડ ગ્રુપ હતું. "એ જ તો સમજ ના પડી." અશોકે કહ્યું.અનુરાધા બોલી, "સાચે