આપણા શક્તિપીઠ - 8 - અંબાજી મંદિર

 ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજી શક્તિપીઠ આવેલું છે. અહીં માતાજીની કોઈ મૂર્તિ કે પ્રતિમા રાખવામાં આવી નથી પરંતુ શ્રી વિષા યંત્ર અહીં રાખવામાં આવ્યું છે. જેની ઈશ્વર તરીકે પૂજા કરવામાં આવે છે. આ વિષા  યંત્ર નરી આંખે જોઈ શકાતો નથી. તથા આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, તેના અમુક રહસ્યો છે કે જે આજે પણ કોઈ ઉકેલી શક્તું નથી. માતાજીનું ક્યુઅંગ આસ્થાન પર પડ્યું હતું? પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે માતાજીનું હૃદય આ સ્થાન પર પડ્યું હતું. અહીં સ્થિત ગબ્બરમાં માતાજીનું હૃદય પડ્યું હતું એવું માનવામાં આવે છે. અહીં દર્શનાર્થીઓ 52  શક્તિપીઠો ની ઝાંખી જોઈ શકે છે. તે અહીં ઉપદ્વીપ પર બનાવવામાં આવ્યું છે.