સત્સંગનું ફળ "सङ्गतिः कारणं लोके सदा दोषगुणाश्रयः। अतः सज्जन सङ्गेन त्यजेद्दुष्ट समागमम्।" "સંસારમાં સંગત જ દોષો અને ગુણોનું કારણ બને છે, તેથી સજ્જનોની સંગત કરવી જોઈએ અને દુષ્ટોની સંગતથી બચવું જોઈએ." નારદજી, દેવઋષિ, જેમનું જીવન ભગવાનની કર્મ ભક્તિ અને સત્સંગની વાતો માં વ્યતીત હતું. એક દિવસ શ્રીકૃષ્ણના દરબારમાં પહોંચ્યા. તેમના ચહેરા પર ઉત્સુકતા ઝળકતી હતી, અને હાથમાં વીણા હજુ પણ ઝંકારી રહી હતી. નમન કરીને તેમણે પૂછ્યું, “હે નાથ! સત્સંગનું ફળ શું છે? એક સંતના સમાગમથી આત્માને શું પ્રાપ્ત થાય?” શ્રીકૃષ્ણે, તેમની રહસ્યમયી મુસ્કાન સાથે, જવાબ આપ્યો, “નારદજી, આ પ્રશ્નનો ઉત્તર તમને નરકમાં રહેલો સૌથી મોટો ગારા માં ખદબદતો એક