સદ્‍ગુરુ કોને કહેવાય?

  • 158

સત્ એટલે આત્મા, એ જેને આત્મા પ્રાપ્ત થયો છે એવા ગુરુ, એટલે સદ્‌ગુરુ! સદ્‌ગુરુ એ તો આત્મજ્ઞાની જ કહેવાય. તેમને આત્માનો અનુભવ થયેલો હોય.ગુરુ અને સદ્‌ગુરુમાં બહુ મોટો ફેર હોય. ગુરુ બે પ્રકારના હોય. એક ગાઈડરૂપી ગુરુ હોય. ગાઈડ એટલે કે ભોમિયા, માર્ગદર્શક. એવા ગુરુ આગળ આગળ ચાલે અને આપણે તેમને અનુસરવાનું હોય. ત્યાં પોતાનું ડહાપણ વાપરવાનું ન હોય, પણ ગુરુને સિન્સિયર રહેવાનું હોય. જેટલા ગુરુને સિન્સિયર રહીએ એટલી આપણને શાંતિ થાય. આપણે સ્કૂલમાં ભણવા જઈએ ત્યારથી ગુરુની શરુઆત થાય છે, તે ઠેઠ અધ્યાત્મના બારા સુધી ગુરુ આપણને લઈ જાય છે. પણ બધા ગુરુઓને આત્મજ્ઞાન થયું નથી હોતું. ગુરુ પોતે