સર્વનાશ લાવનાર અભિશાપિત મહેલો અને ખજાના!

  • 132

વિશ્વમાં એવા અનેક સ્થળો, મકાનો, રાજમહેલો, ધનભંડારો, રત્નો અને પદાર્થો જોવા મળ્યા છે જેમને આપણે અભિશાપિત માનવા પડે છે. જેમણે પણ એ જગ્યાએ રહેવાનો કે એ વસ્તુઓને ભોગવવાનો પ્રયાસ કર્યો તે બધા ભયાનક દુર્દશાને પ્રાપ્ત થયા એવું જોવામાં આવ્યું છે. આ બધી ઘટનાઓને કેવળ સંયોગો કે યુગાનુયોગ તો ન જ મનાય. કેસલ ઓફ મિરામર નામનો એક રાજમહેલ આવો જ અભિશાપિત રાજમહેલ છે ત્યાં રહેનારના સુખ-સંપત્તિ અને શાંતિ જ હણાઈ ગયા છે એવું નથી બલકે તેમને પોતાના જાનથી પણ હાથ ધોઈ નાખવા પડ્યા છે. કેવળ એકાદ બેની જ વાત હોય તો વાત જુદી હોઈ શકે પણ અહીં તો બધાની વાત એવી