નજીકનાં એક ઝાડ પર બેસીને નિલક્રિષ્ના પોતાની વાંસળી મૂખ પર લગાવી.નિલક્રિષ્નાનાં મૂખ પર મુરલી રાખતાં જ મધુર સૂર લહેરાવા લાગ્યો. આ સૂર અને એનાં રૂપ માધુરીનું અલૌકિક દર્શન થતાં એ યુવકના મનમાં અંત્યત આનંદ થયો.આ આનંદ સાથે નિલક્રિષ્નાની છબી એનાં હ્દયકુંજમાં છપાવા લાગી. આ સૂર એનાં કાનમાં જતાં એ હંમેશા માટે એનો ગુલામ થઈ ગયો હોય એમ મગ્ન એ સૂરમાં થઈ રહ્યો હતો. વાંસળીની ધૂન પૂરી થતાં સાંજ પણ થવા આવી હતી. સાંજ થતાં જ અંધારું આગળ વધવા લાગ્યું. વદ પક્ષ હોવાથી ચાંદ હજુ સુધી પ્રકાશિત થયો ન હતો. નિલક્રિષ્ના એ અંધારે જ ત્યાંથી આગળ વધી રહી હતી. એ જોઈ