એક ઐતિહાસિક વિહંગાવલોકન મેર સમાજ એ ગુજરાતના ગૌરવવંતા ક્ષત્રિય રાજપૂત સમાજનો એક અભિન્ન અંગ છે. ઇતિહાસના પાનાંઓ ઉથલાવીએ તો જાણવા મળે છે કે રાજશાહીના સમયમાં મેર સમાજના લોકો 84 ગામોના દરબારો તરીકે ઓળખાતા હતા. તેમને મેર દરબાર અને મેર સામંત તરીકેનું સન્માનજનક પદ પ્રાપ્ત હતું. આ પદવી માત્ર કોઈ જ્ઞાતિસૂચક નહોતી, પરંતુ તે ગરાસદારને મળતું એક વિશેષ સન્માન હતું, જે દર્શાવતું હતું કે તેઓ કરમુક્ત જમીન ધરાવતા હતા ('દર-બાર' એટલે જેના પર કર ન લાગે). વિવિધ મેર પરજો, જેમ કે કેશવાલા મેર (24 ગામ), રાજશાખા જેઠવા મેર (12 ગામ), ઓડેદરા મેર (12 ગામ), અને સિસોદીયા મેર (12 ગામ), કુલ 60