સિતારે જમીન પર - રાકેશ ઠક્કર આમિર ખાન પરિણામની ચિંતા કર્યા વગર કશુંક અલગ કરવા માટે બોલિવૂડમાં જાણીતો રહ્યો છે એની સાબિતિ ફિલ્મ ‘તારે જમીન પર’ માં પણ આપી છે. શુક્રવારે ફિલ્મના સવારના શૉ ક્યાંય રાખવામાં આવ્યા ન હતા. એ જાણીને પણ દર્શકને થશે કે આવું કોઈ કરતું હશે? અને એની પાછળનું કારણ શું હોય શકે? એક કારણ એવું કહેવાય છે કે સવારના શૉને કારણે જલદી રિવ્યુ આવી જવાથી લોકો થિયેટર જવાનો વિચાર બદલી શકે એમ હતા. આમિરને એવી શંકા હોય શકે કે લોકો ફિલ્મ જોવા આમિરે આવશે કે નહીં? પણ આમિરે ચિંતા કરવાની જરૂર ન હતી. એટલી ખરાબ ફિલ્મ બનાવી નથી.અસલમાં સૌથી મોટી સમસ્યા એના પર