તલાશ 3 - ભાગ 46

  • 270
  • 144

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. શ્રીનાથદ્વારામાં રાજભોગના ભવ્ય દર્શન પૂર્ણ થતાં જ મંદિરના દ્વાર મર્યાદિત સમય માટે બંધ થઈ ગયા, અને બપોરની એક અનોખી શાંતિમાં વાતાવરણ માં પ્રસરવા મંડી. હમણાં સુધી દર્શન કરવા માટે આતુર ભાવિક ભક્તોના કોલાહલથી ધમધમતું મંદિરનું પરિસર જાણે થાકેલા ભક્તોની સાથે સ્પર્ધામાં કરતું હોય, એમ સુસ્તાવા લાગ્યું. ફૂલ ઘર, સામગ્રી ઘર, ગૌશાળામાં પણ શાંતિ છવાઈ ગઈ. રસ્તા કોઈ એદી પથારીમાં આળોટતો હોય એમ તંદ્રામાં સરી પડ્યા. બજારની દુકાનો પણ અડધી શટરો નીચે કરી સુસ્તાઇ રહી હોય એવી પિછવાઈ પેઈન્ટિંગ, ભગવાનના કપડાં અને પ્રસાદ વેચતી