સુવર્ણમય ભવિષ્યની વાત

  • 242
  • 78

સુવર્ણમય  ભવિષ્યની વાત  "पिता स्वर्गः पिता धर्मः पिता परमकं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवताः॥" "પિતા સ્વર્ગ છે, પિતા ધર્મ છે, પિતા જ પરમ તપ છે. પિતા પ્રસન્ન થાય ત્યારે સર્વ દેવતાઓ પ્રસન્ન થાય છે."   2004 ના વર્ષમાં એક સરદારજી તેમના આખા કુટુંબ સાથે, જેમાં વૃદ્ધ માતા-પિતા પણ સામેલ હતા. કેનેડાથી ભારત પાછા ફર્યા. તેમની આ વાત એક એવી કથા છે, જે પિતૃભક્તિ અને જીવનના મૂલ્યોની સાર્થકતા દર્શાવે છે. "જે ઝાડને સમયસર કાપછાટ કરવામાં ન આવે, તે ઊગે તો ખરું, પણ ફળે નહીં." સરદારજીનો એકનો એક દીકરો, જે દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, કેનેડામાં શરાબના રંગે રંગાઈ ગયો હતો.