બાબા આર્દને નિલક્રિષ્નાને પૃથ્વી પરનું જરૂરી જ્ઞાન જલ્દીથી આપવાનું હતું.નિલક્રિષ્ના રેતમહેલમાં જમવા બેસતી હતી ત્યારે એનાં ભોજનની વ્યવસ્થા માટે અનેક રાક્ષસી જીવો હાજર જ રહેતા હતાં. સ્વર્ગથી પણ સુંદર એ દિવસો એ મનમાંથી કાઢીને આ કુટીરની રમણીયતામાં રાચતી હતી. આ વયો વૃધ્ધ બાબા આર્દની બનાવેલી ખિચડી એ હોંસે હોંસે જમતી હતી.બાબા આર્દ જ્યારે એ ખીચડી પ્રેમથી નિલક્રિષ્નાને ખવડાવતા હતા ત્યારે એની તુલનામાં સમુદ્રમાં મળેલું એશ્વર્ય તુચ્છ લાગતું હતું.અહીં કોઈ પણ સ્વાર્થ વગર બાબા આર્દ એની સંભાળ રાખી રહ્યા હતાં.એ જોઈને એને એમ થયું કે,આટલો નિઃસ્વાર્થ પ્રેમ પૃથ્વી વાસીઓ જ કરી શકે! જિંદગીમાં પહેલીવાર નિલક્રિષ્ના આમ જમીન પર બેસીને ભોજન ગ્રહણ કરી