સાચી માનવતા

એક દિવસ અમારા ગામમાં ગામના કૂવામાં એક ગાય પડી ગઈ હતી લગભગ સાંજે 6:30 જેવો સમય થયો હતો અને કોઈ આવીને કહ્યું કે ગામના પાદરમાં આવેલા કુવામાં એક ગાય પડી ગઈ છે અને આની જાણ થતા જ મારા પિતા ત્યાં દોડી ગયા અને એની સાથે એના મિત્રો અને ગામના આગેવાનો પણ ત્યાં પહોંચી ગયા હતા. એ સમયે ફોનની વ્યવસ્થા ઓછી હતી અને ગામના પાદરમાં આવેલા કુવો અડધો પાણીથી ભરેલો હતો અને ઊંડો પણ હતો આથી ગાયને કાઢવી થોડુંક મુશ્કેલ હતું અને તાત્કાલિક બધી વસ્તુ ભેગી કરવી એમ હતી આથી એમાંથી એક ભાઈએ કહ્યું કે કરસનભાઈ નું વાડીએ જીસીબી આવ્યું છે