નમ્રતા અને વાંસનું ઝાડ

  • 246
  • 86

નમ્રતા અને વાંસનું ઝાડ  "नमन्ति फलिनो वृक्षाः, नमन्ति गुणिनो जनाः। शुष्कवृक्षाश्च मूर्खाश्च, न नमन्ति कदाचन।।"  આનો અર્થ એ છે કે ફળદાર વૃક્ષ અને ગુણવાન વ્યક્તિ હંમેશા ઝૂકે છે, જ્યારે સૂકા વૃક્ષ અને મૂર્ખ વ્યક્તિ ક્યારેય ઝૂકતા નથી.   એક સંત પોતાના શિષ્ય સાથે જંગલમાં જઈ રહ્યા હતા. ઢોળાવ પરથી પસાર થતાં અચાનક શિષ્યનું પગ લપસ્યો, અને તે ઝડપથી નીચે તરફ ધસવા લાગ્યો. તે ખાઈમાં પડવાનો જ હતો, ત્યાં જ તેના હાથમાં વાંસનું એક નાનું ઝાડ આવી ગયું. તેણે વાંસના ઝાડને મજબૂતીથી પકડી લીધું અને ખાઈમાં પડતાં બચી ગયો. વાંસ ધનુષની જેમ વળી ગયું, પરંતુ ન તો તે જમીનમાંથી ઉખડ્યું, ન