સ્વર્ગ નું નિર્માણ

સ્વર્ગ નું નિર્માણस्वर्गस्य प्राप्यते यस्मात् कर्मणा तत्सुखं भवेत्: જે કર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તે જ સુખદાયી હોય છે. ઘણું બધું શીખવું પડે છે, નાની ઉંમરે પણ, નાના દિલથી. એક નાનકડી દોહિત્રી અને તેની નાનીની આ વાત છે, જેમાં પ્રેમ અને સમજણનો ઊંડો સંદેશ છુપાયેલો છે. નાનીને તેમની દસ વર્ષની દોહિત્રી ઉર્વી એ  ઉત્સાહથી કહ્યું, “નાની, હું મમ્મી-પપ્પા સાથે મોલ જાઉં છું, તમે ઘરનું ધ્યાન રાખજો!” નાનીએ હળવું હસીને જવાબ આપ્યો, “ઠીક છે, ડોલી. તમે જાઓ, મારા પગમાં થોડું દુખે છે, અને મોલમાં મને ખાસ રસ નથી.” પણ ઉર્વી એ  જીદ પકડી, “ના, નાની, તમારે પણ મોલ આવવું જ પડશે!”