નિલક્રિષ્ના - ભાગ 22

  • 174

  ધરાના ગુમ થઇ ગયા પહેલાં આપણે જોયું હતું કે,અગ્નિ મહોત્સવમાંથી રેતમહેલમાં આવ્યા પછી હેત્શિવાએ નિલક્રિષ્નાની પૃથ્વી પર જવાની તૈયારીઓ કરી રહી હતી.  રેતમહેલમાં સમયસર ધરા ન પહોંચતાં હેત્શિવાએ સમુદ્રની બધીજ દિશામાં એની શોધ પણ શરૂ કરી દીધી હતી.પરંતુ ધરા ક્યાંય પણ દેખાઈ રહી ન હતી.અને સમુદ્રક પણ આખાં અરબ સાગરમાં ક્યાંય નજરે ચડતો ન હતો.ઘણીબધી શોધ કર્યા પછી પણ હેત્શિવા એ બન્નેની ભાળ ક્યાંય મેળવી શકાતી ન હતી. કોઈને હદયના તાર એ બન્ને સાથે જોડવાનો વિચાર નહોતો આવતો. કેમ કે, હદયનો સંબંધ કેનો કોની સાથે છે. એ રાજ હજુ રાજ જ હતું. આ પાનું ખુલ્યું જ ન હતું. તેથી