વૃજાએ તોતીંગ પક્ષીઓને મગરમચ્છની ચણ નાખીને એ રીતે સજ્જ કર્યા હતા કે, એ પક્ષીઓ આકાશમાં કાલીશક્તિઓનુ પણ આહવાન કરી શકતાં હતાં.એ ઉડતાં હોય એ આકાશ એનું જ બની જતું હતું.નતનવીન ચાળા કરતી એ કરગરતી પક્ષીઓની સામે રડવા માંડે અને પોતાને વધુ દુઃખ છે એવું બતાવવા પોતાના હાથ નીચે પછાડવા લાગે. આવાં એનાં ઢોંગથી સહાનુભૂતિ આપવા તૈયાર હરકોઈ પક્ષીને એ પવનમહેલ તરફ દોરી જતી હતી. અતિ ક્રુર વૃજાનુ આ સ્વરૂપ ખોટા છલકાતાં આંસુ સાથે દયા ઉપજાવતું દેખાવમાં લાગતું હતું.આવા એનાં કરૂણ રુદનથી એને સહાનુભૂતિ આપવા આકાશમાં વિહરતુ હરકોઇ પક્ષી એનાં તરફ ખેંચાય જતું હતું.આ પક્ષીઓને ખંભે બેસાડી એ આખાં પવન મહેલમાં