( આગળનાં ભાગમાં આપણે જોયું કે બાબા આર્દ નિલક્રિષ્નાના જન્મ વિશેની સત્ય હકીકત એનાં મુખેથી જણાવી રહ્યા હતાં.તો આગળ અહીં બાબા આર્દના શબ્દોમાં જ હજુ એ જ અધુરી હકીકત જાણીએ.)અતિગંભીર સ્થિતિ પ્રગટ થાય એ પહેલાં મળેલ તક એ ઝડપી લેવા માંગતી હતી.આમ,પણ એ જાણતી હતી કે, "આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય."સમુદ્રકને પોતાના કબજામાં કરી હવે વૃજા ઉલટી બાજી રમી રહી હતી.સમુદ્રકને પોતાની દૈત્ય શકિતઓનો મૂખોટો પહેરાવી દીધો હતો.આમ,સમુદ્ર દેવતાને સમુદ્રમાં કેદ કરી એ હવે એનામાં રાક્ષસી વૃતિ ભરવાનું ચાલુ કરી રહી હતી.વૃજા આગળ કોઈ વિનાશની તૈયારી કરે એ પહેલાં હેત્શિવાએ એને ત્યાંને ત્યાં જ મોતને ઘાટ ઉતારવાનુ નક્કી