ભાગ 8: અર્ગણાશ્રમની અંદર છુપાયેલો પડછાયોસવારના પહેલા કિરણ સાથે જ ટ્રેનના દરવાજા પરથી અવિનાશ, કાવ્યા અને અનય ઊતર્યા. સાવ શાંત સ્ટેશન... જેવું કે સમય અહીં અટકી ગયો હોય. હર પલ, ઘડી અને લમ્હો એક અનામત ભય સાથે ગૂંથાયેલા લાગતા હતા.અર્ગણાશ્રમ ત્યાંથી માત્ર ચાર કિલોમીટર દૂર હતો – જૂના પત્થરોથી બનેલો રસ્તો, જેના બાજુઓએ ઘણી ઝાડીઓ, જૂની દિવાલો અને ભૂતકાળના પડછાયાઓ છૂપેલા હતા.(સાંજ પડતી થતી – અશ્વિન મહિના દરમિયાન અર્ગણાશ્રમ)ત્રણેય ત્યાં પહોંચ્યા ત્યારે ઘમાસાણ અંધારું પથરાઈ ચૂક્યું હતું. એક મોટું લોખંડનો દરવાજો જે પર જૂના સંસ્કૃતમાં લખેલું હતું – "અહિં જ રહે છે સત્ય અને ભ્રમ વચ્ચેની તીક્ષ્ણ રેખા."અવિનાશ એ દરવાજા