અહિલ્યાબાઇ હોલકર....અપાર દુઃખો વચ્ચે એક સ્ત્રી અન્યના દુઃખો દૂર કરતી કરતી ઇતિહાસમાં અમર થઈ ગઈ.હોલકર વંશના રાણી અહલ્યાબાઈ હોલકરનો થોડા દિવસ પહેલાં જન્મ જયંતી ઉજવાઈ.જ્યારે દેશમાં સતી પ્રથા પ્રચલિત હતી,ત્યારે અહલ્યાબાઈ હોલકરે હોલકર વંશની કમાન સંભાળી હતી.એવું કહેવાય છે કે તેઓ પોતાના બાળકો કરતાં પણ પોતાની પ્રજાને વધુ પ્રેમ કરતા હતાં.ન્યાય એવો હતો કે તેમણે પોતાના પુત્રને તેની ભૂલ માટે મૃત્યુદંડની સજા ફટકારી.લોકો તેમને લોકમાતા તરીકે સંબોધતા હતાં.તેમનું સરળ જીવન,ધર્મ,સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ એવું હતું કે તેમને ફિલોસોફર ક્વીનનું બિરુદ આપવામાં આવ્યું હતું.શિવભક્તિ ઉપરાંત,દૈનિક નર્મદા દર્શન,માછલીને ખવડાવવું અને ગરીબોને દાન આપવું તેમના દિનચર્યાનો ભાગ હતું.અહલ્યાબાઈએ મહિલાઓને સશક્ત બનાવવા માટે