ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જીતુભા તૈયાર થઈને "નીતા કોસ્મેટિક્સ"ના મેનેજર ને મળવા એમની ઓફિસમાં પહોંચ્યો. અહીંનું બધું કામ પતી ગયું હતું હવે એ નાથદ્વારા થઈ અને પછી નીકળી જવાનો હતો. બીજું કંઈ ખાસ કામ હતું નહિ એણે વિચાર્યું કે લગભગ દોઢ કલાકમાં શ્રી નાથદ્વારા પહોંચી જઈશ. પણ હજી એ વિચારમાં હતો કે મામાને મળવું કે ડાયરેક્ટ ચાર અને પાંચ વાગ્યા વચ્ચે સીધું વિક્રમ ને મળવું? "સાહેબ નાસ્તો અને ચા મંગાવ્યા છે. નાસ્તો કરીને પછી જજો." મેનેજરે વિવેક કરતા કહ્યું.જવાબમાં જીતુભા કઈ બોલ્યો નહિ. પણ