મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 19

  • 424
  • 136

"બાબો તારી સાયકલ લઈ ગયો? અરે તો તો તું નસીબદાર કહેવાય દીકરા ચંચા! તારી સાયકલની હવે રોજ પૂજા કરજે. એ વાહન પર બાબાની કૃપા થઈ ગઈ. તને નથી ખબર પણ હે મુમુક્ષ પ્રાણી, બાબો કોઈ સામાન્ય પુરુષ નથી. હે કુબુદ્ધિ અને કદાચારલીન પ્રાણી તારા નસીબ આજે ખુલી ગયા. બાબો તો ભગવાન સત્યનારાયણદેવનો અવતાર છે. સત્યનારાયણ એટલે પોતે જ ભગવાન વિષ્ણુ! કળિયુગનો નાશ કરવા વિવિધ અવતારો લેવાનું ભગવાને વચન આપ્યું હતું. ગરુડ જેવું વાહન આ યુગમાં અલભ્ય ગણ્યું હોવાથી ભગવાન જ્યારે પણ જે વાહનની જરૂર પડે ત્યારે એ વાહનમાં ગરુડજીના પ્રાણ પુરશે. હે પામરપાપી જન ચંચા, તારું કલ્યાણ થઈ ગયું. હવે