ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. એક રાતમાં લગભગ બધુંજ બદલાઈ ગયું હતું. ગઈકાલે સાંજે સુધી માતેલા સાંઢની જેમ ફરતો શંકર રાવ લગભગ ગરીબડી ગાય બની ગયો હતો. કેમકે એના એક લોકલ મળતિયાને મળેલી પાકી બાતમી મુજબ છેક દિલ્હીથી એના પર ઇંક્વાયરી નીકળી હતી. વહેલી સવારે આ ખબર મળ્યા બાદ એણે પોતાની ઓફિસમાં ફોન કર્યો તો એના માનીતા ચપરાશી એ એને સલાહ આપી કે ફોન બંધ રાખીને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી જાવ. અહીં ઓફિસમાં ચાર કલાકથી એકેક કાગળ તપાસાયા છે અને તમારા વિશે ઘણું બધું એ અફસરોને ખબર પડી ગઈ છે. તમારા ઘરે પણ ત્રણ