નાઘેર વિસ્તારનું એક ગામ હતું. ત્યાં પ્રાગજી દાદા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સ્વભાવમાં સરળ એકદમ સાદુ અને નિયમિત જીવન જીવતા. આંગણે આવેલા દરેકના પ્રશ્નોનું પોતાનાથી શક્ય તેવું નિવારણ કરી આપવાનો પ્રયત્ન કરતા. કોઈ દિવસ કોઈ તેમના ઘરેથી નિરાશ થઈને જાય નહીં. ગામનો દરેક વ્યક્તિ તેમના સ્વજન સમાન હતો. કોઈને કઈ જરૂર હોય તો તેઓ તરત જ મદદ કરવા તૈયાર જ હોય. તેમના પરિવાર કુલ 4 સભ્યો પોતે તેમના પત્ની કોકિલાબેન, દીકરો મનન અને દીકરી દિયામનન કોલેજમાં અભ્યાસ કરતો અને દિયા 10 માં ધોરણમાં ભણતી હતી. પ્રાગજી દાદાનું નામ આસપાસના વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધ હતું. તેઓ ગાયત્રી માતાના