મારા અનુભવો - ભાગ 42

  • 364
  • 88

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 42શિર્ષક:- બ્રહ્મચર્યની ભીતરલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 42. ."બ્રહ્મચર્યની ભીતર." હરદ્વાર, હૃષીકેશ અને ત્યાંથી શરૂ થતો હિમાલય બહુ પ્રાચીનકાળથી સાધકો જિજ્ઞાસુઓ અને-તત્ત્વચિંતકોનું આકર્ષણ રહ્યો છે. ભારતના ખૂણેખૂણામાંથી અનેક પ્રકારના તથા જુદી જુદી કક્ષાના લોકો અહીં આવે  છે. ગંગાનું સાન્નિધ્ય તથા આધ્યાત્મિક વાતાવરણ એક પ્રકારનું આકર્ષણ કરે છે. જોકે હવે પ્રચુર રૂપથી રજોગુણી વાતાવરણ વધી ગયું છે. છતાં આજે પણ કોઈ વિરલ વિભૂતિ આવાં સ્થળોમાં સાધના કરતી જોઈ શકાય છે.હું હરદ્વાર રહેતો ત્યારે સૌરાષ્ટ્ર તરફના એક નિવૃત્ત ડૉક્ટર પોતાની મેળે જ દીક્ષા લીધા વિના ભગવાં વસ્ત્રો પહેરીને આવેલા.