તક્ષશિલા. એક નવી સવાર. એક નવો યુગ. આજનો દિવસ તક્ષશિલા માટે માત્ર તહેવાર નહોતો, પણ એક ઐતિહાસિક સંધિબિંદુ હતો જયારે ભૂતકાળના પાથરો પર નવી પેઢીની ભાવિ મંજિલ ઘડાવાની હતી.સવારે સવારે જયારે સૂરજના કિરણો હળવે ધોવાઈ રહ્યા હતા, ત્યારે નગરજનો સ્વયંસ્ફૂર્ત રીતે પોતાના ઘરો બહાર નીકળી પડ્યા. રાજમાર્ગો પર ઘોડા નહીં, આજે ઉપસ્થિતિ હતી પૂજાપાત્ર સંસ્કૃતિની. ફૂલોની પાંખથી ઢંકાયેલા રસ્તાઓ, ધ્વજોથી શોભતા મંડપો, ઘંટધ્વનિ અને મંત્રોચ્ચારથી ગૂંજતા મંદિરો… સમગ્ર તક્ષશિલા આજે નવજીવનથી ધબકતું હતું.રાજમહેલના મુખ્ય પ્રાંગણમાં વિશાળ શપથવિધી માટે મહામંડપ ઊભો કરાયો હતો. મધ્યમાં અગ્નિકુંડ ધૂમ્રપટો વહાવતું હતું. ચારેય તરફ થી યુદ્ધવિદ્યાશાળાના મુખ્ય આચાર્યો, રાજમંત્રીઓ, સેનાપતિઓ અને તપસ્વી વિદ્વાનો હાજર હતા.