તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 11

  • 340
  • 90

તક્ષશિલાના મહાદરબારમાં તૃતીય અને અંતિમ કસોટીનું તણાવભર્યું વાતાવરણ છવાયું હતું. આજની કસોટી પથ્થર જેવા સજ્જ શાસક નહીં, પણ મનુષ્ય હૃદય ધરાવતા નેતા શોધવાની હતી. આ કસોટી શબ્દોથી નહીં, અંતઃકરણથી ઉપજતી હતી. મહારાજ આર્યન, આચાર્ય ચાણક્ય અને રાજ્યના મુખ્ય ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ પ્રશ્નોત્તરી શરૂ થઈ. બંને રાજકુમારો — સૂર્યપ્રતાપ અને ચંદ્રપ્રકાશ — મંડપના મધ્યમાં ઊભા હતા. તેમના ચહેરા પર શાંતિ હતી, પણ અંદર યુદ્ધ ચાલી રહ્યું હતું — પોતાની વિચારશક્તિ અને મર્યાદાની અગ્નિપરીક્ષા માટે. પ્રશ્ન ૧ : પ્રજાએ એક અત્યાચાર કરતી શાસક સ્ત્રીને જાહેરમાં મારી છે. સ્ત્રી દોષી છે, પણ કાયદાની પ્રક્રિયા હાથ ધરાવ્યા વગર તેને દંડ મળ્યો છે. શું જનતા