મારા અનુભવો - ભાગ 41

  • 484
  • 1
  • 146

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 41શિર્ષક:- સ્વામી સચ્ચિદાનંદલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 41. "સ્વામી સચ્ચિદાનંદ." વિભાજિત પંજાબના ઠેઠ છેડે ફીરોજપુર શહેર આવેલું છે. દેશના ટુકડા થયા ત્યારે જે રેખા ખેંચાઈને ફીરોજપુરની સાથે વહેતી સતલજ નદી સાથે સાથે ખેંચાઈ.ભારતના પશ્ચિમ ભાગમાં જેમ જેમ ઇસ્લામીકરણ થતું ગયું તેમ તેમ તેનું છેદન થતું ગયું. “પંચનદ' એટલે બૃહત્ પંજાબ. જ્યાં ઋષિ-મુનિઓ અને આર્ય પ્રજાનો નિવાસ હતો તે ભાગમાંથી પ્રથમ અફઘાનિસ્તાન, બલુચિસ્તાન તથા સિંધમાં ઇસ્લામનો પ્રભાવ વધ્યો. આ જ ભાગમાં ચંદ્રગુપ્ત તથા અશોકનું સામ્રાજ્ય હતું. બૌદ્ધ ધર્મની શિથિલતા પછી વર્ણ ધર્મનો ઉદય થયો. ઇસ્લામની આંધીને રોકવાની ક્ષમતા