કેરાલા પ્રવાસની શરૂઆત અમે ત્રિવેન્દ્રમથી કરી.ત્રિવેન્દ્રમઅમે મદુરાઇથી રાત્રે 12 વાગે ઉપડતી ટ્રેનમાં સવારે 6 વાગે તીરુઅનંતપુરમ અથવા ત્રિવેન્દ્રમ પહોંચ્યાં. એ કેરાલાની રાજધાની છે. કેરાલા ફરવા જાઓ તો તિરુઅનંતપુરમ અથવા એર્નાકુલમ જ ઊતરવું સરળ પડે, ત્યાંથી ટેક્સી કરીને કે હું ગયેલો તેમ પૂછતા નર પંડિત થઈ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈ શકાય. ત્રિવેન્દ્રમ સ્ટેશનની બહાર નીકળી સામે જ કેરાલા ટુરિઝમની હોટલ ચિત્રા ગયાં. ત્યારે, વીસ વર્ષ અગાઉ એક રાત્રીના હોટેલમાં સામાન્ય રીતે 400 કે 500 રહેતા તે અહીં 1500! સુંદર રિસેપ્શન જોઈ, નજીક ફૂલીફાલી ગયેલા હોમ સ્ટે પૈકી એક, એક રાતના 450 માં સિલેક્ટ કર્યું. માલિક ન અંગ્રેજી સમજે ન હિન્દી. શ્રીમતી અંદર ગયેલી.