મિસ કલાવતી - 15

  • 516
  • 198

દિલ્હી રહેતા બારોટ સાહેબને કલાવતીએ ફોન દ્વારા પોતાની પ્રગતિથી વાકેફ કર્યા. અને તેણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને જોઈતાં નાણાં પોતે કોઈપણ ભોગે કેશારામ પાસે થી મેળવી શકશે. જી. વિશ્વનાથન પાસેથી મળેલા ગુપ્ત દસ્તાવેજોનો ગહન અભ્યાસ કરીને કલાવતીએ બજેટ ને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ 'કચ્છ બ્રાન્ચ કેનાલ' વાળો પ્રોજેક્ટ હાથમાં લીધો. અને આ યોજના પાર પાડવા માટે તેણે પોતાના અંગત વફાદાર અને હોશિયાર માણસો ની આખી ટીમ ગુપ્ત રીતે એ કામે લગાડી દીધી .નર્મદા નહેર નું કામ હજુ તો વડોદરા અને અમદાવાદ વચ્ચે ચાલુ હતું. છતાં સરકારે ચૂંટણી આવતી હોવાથી મત મેળ વવા માટે બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના ઈસ