આરસર તેના બિસ્તર પર આડો પડ્યો હતો...તે રાતે ઉંઘી જ શક્યો ન હતો તેને એ વાતે ગભરાયેલો હતો કે તે માફિયાની ચંગુલમાં ફસાઇ ગયો છે અને ગ્રેનવિલ કરતા પણ તેની હાલત વધારે કફોડી છે હવે તેને તેનાં ગ્રેનવિલનાં નકલી અપહરણની યોજના બદ લ ખેદ થઇ રહ્યો હતો કારણકે જો તેણે એ ન કર્યું હોત તો આ મુસીબતમાં ફસાયો ન હોત...પણ હેલ્ગા સાથે બદલો લેવાની વાત અને વીસ લાખની લાલચે તેની અક્કલ આડે પરદો નાંખી દીધો હતો તેને એ વાતનો અફસોસ થઇ રહ્યો હતો કે તેણે આ નકલી અપહરણ માટે બર્ની જેવા ઠગની મદદ લીધી હતી....તેમાંય હવે હેલ્ગા પાસે જઇને ગ્રેનવિલને