માણસ જ્યારે અતિશય ખુશ હોય ત્યારે પણ તેની અંદર એક ડર તો હોય જ છે કે તેની આ ખુશીઓને કોઈની નજર ન લાગી જાય.પણ ખરેખર આ ખરાબ નજરને ઓળખી તાત્કાલીક તેને જળ મૂળથી કાઢવામાં ન આવે તો તે એક બિમારીનુ સ્વરૂપ લઈ લે છે, અને એવી બિમારી જે નરી આંખે દેખાતી પણ નથી.એ નજરની જાણ અનંતને હતી, પરંતુ ભોળપણની આંખને આ દુનિયાદારીના ચશ્મા કઈ રીતે લગાવવા? આજે આરાધનાએ જ્યારે તેના દોસ્ત અનંતને તેના મંગેતર અને ટૂંક સમયમાં પતિ થવા જઈ રહેલા અમન સાથે મુલાકાત કરાવી ત્યારે ત્રણેયની વાતચીતને અંતે અમન જે લુચ્ચાઈ ભર્યુ હસ્યો અને અનંતને કાનમાં જે કહ્યુ તે