તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 10

  • 304
  • 82

પ્રથમ કસોટીના જ્વલંત વિજય પછી તક્ષશિલા એક નવા ઉત્સાહથી ધબકતી હતી. પરંતુ જાણકારોને ખબર હતી કે સાચો શાસક તલવારથી નહિ, પરંતુ બુદ્ધિ અને ધીરજથી ઘડાય છે. હવે આવી હતી બીજી અગ્નિપરીક્ષા: કૂટનીતિ અને રાજકીય સમજણ. તક્ષશિલાના મહાદરબારમાં સર્વત્ર તણાવ છવાયો હતો. મહારાજ આર્યન, આચાર્ય ચાણક્ય અને મંત્રીઓ ખાસ બેઠકમાં બેસી ગયા હતા. દરબારને વિશાળ રીતે શણગારવામાં આવ્યો હતો અને દરેક ત્રુટિહીન વ્યવસ્થા હેઠળ પ્રજાનો પણ આવકાર થયો હતો. આજનું દૃશ્ય માત્ર પરિક્ષાનું નહોતું, પરંતુ રાજ્યના ભવિષ્યના શાસકની પસંદગીનું હતું. દરબારના કેન્દ્રમાં એક ઊંચો મંચ બનાવાયો હતો, જ્યાં બંને રાજકુમારોનો સામનો થવાનો હતો. દરબારના વિદ્વાનોએ અને ચાણક્યે પ્રશ્નો તૈયાર કર્યા હતા,