જે ઘરમાં દીકરીનો જન્મ થાય, એ ઘર, અને એ માતા-પિતા બંને માટે ખૂબજ ગર્વની વાત હોય છે. અહીં આ વાતનું ઉદાહરણ જરૂરી છે, કારણ કે, અમુક વાતો આપણને ઉદાહરણ સિવાય ગળે નથી ઉતરતી. દા.ત. જેમ આપણે આપણા દર દાગીના, કે કિંમતી દસ્તાવેજો ( અહીં થાપણો )બધી રીતે સુરક્ષાની તપાસ કર્યા બાદ જ જે તે બેન્કના લોકરમાં મૂકીએ છીએ, કેમકે એ આપણી થાપણ છે. જ્યારે દીકરી.....એતો પારકી થાપણ છે, તો એ થાપણને.....જે પૂરતા પ્રેમ, અને લાગણી સાથે સાચવી શકે, અને દીકરીનો બધી રીતે યોગ્ય વિકાસ થાય, એ બધી બાબતોનું પરમ કૃપાળુ પરમાત્માએ જાતે ધ્યાન રાખીને ઉપરવાળાએ એ મા-બાપને પસંદ કર્યા હોય છે, કે જે મા-બાપને ઘેર