મહેનતની કમાણી

  • 922
  • 324

મહેનતની કમાણી કાશીમાં એક કર્મકાંડી પંડિતનો આશ્રમ હતો, જેની સામે એક મોચી બેસતો હતો. તે જોડા સીવતો અને સીવતા સીવતા હંમેશાં કોઈ ને કોઈ ભજન ગાતો. આ મોચી ની સામે જ આશ્રમ માં પંડિત રહેતા. પરંતુ પંડિતજીનું ધ્યાન તેના ભજનો તરફ ક્યારેય ગયું ન હતું. એક વખત પંડિતજી બીમાર પડ્યા અને તેઓ પથારીવશ થઇ ગયા. તે પથારી થી હાલી સકતા ન હતા. અને તેમને ભજન સાંભળ્યા સિવાય છુટકો ન હતો. તે સમયે તેમને મોચીનાં ભજનો સાંભળ્યા. તેમનું મન રોગથી હટીને ભજનો તરફ ખેંચાયું. ધીમે ધીમે તેમને અનુભવ થયો કે મોચીનાં ભજનો સાંભળતાં સાંભળતાં તેમનો દુઃખદાયી રોગ હળવો થઈ રહ્યો છે.