ભાગવત રહસ્ય - 300

  • 188

ભાગવત રહસ્ય - ૩૦૦   બ્રહ્માજીએ વિચાર્યું કે-શ્રીકૃષ્ણ ઈશ્વર છે કે સાધારણ દેવ છે, તેની આજે પરીક્ષા કરું. મારા જેવી સૃષ્ટિ બનાવતાં જો તેમને આવડે તો હું માનીશ કે –શ્રીકૃષ્ણ ઈશ્વર છે. બાળકોનું ભોજન ચાલતું હતું તે વખતે બ્રહ્માજીએ બધાં વાછડાંઓને માયાથી ઉઠાવી બ્રહ્મલોકમાં લઇ ગયા છે.ગોપ બાળકોને ભોજન વખતે વાછડાં યાદ આવ્યાં,અને જુએ તો વાછડાં ના મળે.બાળકો કનૈયાને કહે છે કે –કનૈયા આપણાં વાછડાં દેખાતાં નથી. એટલે શ્રીકૃષ્ણે કહ્યું કે તમે ભોજન કરો,હું વાછડાંને લઇ આવીશ.શ્રીકૃષ્ણ વાછડાંને શોધવા જાય છે.તે જ વખતે બ્રહ્માજી બધાં ગોપબાળકોને પણ માયાથી ઉઠાવી બ્રહ્મલોકમાં લઇ જાય છે.   આ કથા પાછળ બીજું પણ થોડું