ભાગવત રહસ્ય - 298

  • 90

ભાગવત રહસ્ય - ૨૯૮   એક વાર ભજનમાં આનંદ મળી જાય પછી સંસારનો આનંદ ફિક્કો લાગે છે.આ જીવને ભજનમાં આનંદ મળતો નથી એટલે બીજે આનંદ ખોળવા જાય છે.પતિ શાંડિલ્યઋષિ ભોજન કરતા નથી એટલે પત્ની પૂર્ણમાસી પણ ફળાહારથી ચલાવી લે છે.ઘરમાં એક છોકરો મધુમંગલ છે,હજુ નાનો છે,જનોઈ આપી નથી એટલે નંદબાબાને ઘેર જમવા જાય છે.યશોદાજી વૈશ્ય છે એટલે શાંડિલ્યઋષિને કહેલું કે જનોઈ ના આપો ત્યાં સુધી મધુમંગલ ભલે અમારે ત્યાં જમે.ગોરનો દીકરો એટલે યશોદા મા મધુમંગલને માનથી અને પ્રેમથી જમાડે છે.   પણ આજે મધુમંગલ દોડતો ઘેર આવ્યો અને મા ને કહે છે કે-મા,આજે લાલાને આપણા ઘરનું ખાવું છે.મા,જે બનાવ્યું હોય